જો ઈઝરાયલ ઈરાન પર હુમલો કરશે તો ઈરાન ઈઝરાયલની તમામ ઉર્જા, રિફાઈનરીઓ અને ગેસ ક્ષેત્રો નિશાન બનાવશે

khameini

ઈરાનમાં સુપ્રીમ લીડર ખામેનીએ કહ્યું- ઈઝરાયલનો ખાતમો કરી દઈશું, આરબ દેશો સમર્થન આપે

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે હાલ મહાયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઈરાનની ગ્રાન્ડ મોસલ્લા મસ્જિદમાં હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં ખામેનીને સાંભળવા માટે હજારો લોકો પહોંચ્યા હતા.

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ તેહરાનની ગ્રાન્ડ મસ્જિદમાં હિઝબુલ્લાહ ચીફની યાદમાં પ્રાર્થના કરી હતી. ખામેનીએ પાંચ વર્ષમાં પહેલીવાર શુક્રવારની નમાજ અદા કર્યા બાદ હાથમાં રાઈફલ રાખી લાખો લોકોની મેદની વચ્ચે તમા મુસ્લિમોને ઈઝરાયલ વિરુદ્ધ એક થવા આહવાન કર્યું હતું.

સમાચાર એજન્સી AFPએ હિઝબુલ્લા સાથે સંકળાયેલા એક સૂત્રને ટાંકીને દાવો કર્યો છે કે નસરાલ્લાહને સિક્રેટ જગ્યાએ દફનાવવામાં આવ્યો છે. ઇઝરાયલના હુમલાના ડરથી નસરાલ્લાહના જનાજાને કાઢવામાં આવ્યો નથી. અગાઉ તેના મૃત્યુના શોકમાં મોટો જનાજા કાઢવાનો હોવાના અહેવાલ હતા.

ઈરાનની સમાચાર એજન્સી SNNએ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ડેપ્યુટી કમાન્ડર એડમિરલ અલી ફાદવી (Ali Fadavi)ને કહ્યું છે કે, ‘જો ઈઝરાયલ ઈરાન પર હુમલો કરશે તો ઈરાન ઈઝરાયલની તમામ ઉર્જા, રિફાઈનરીઓ અને ગેસ ક્ષેત્રો નિશાન બનાવશે. ઈરાન એક મોટો દેશ છે અને અહીં ઘણા આર્થિક કેન્દ્રો છે. જ્યારે ઈઝરાયેલ પાસે ત્રણ પાવર પ્લાન્ટ અને ઘણી રિફાઈનરીઓ છે અને અમે તેમના પર આ ક્ષેત્રોમાં જ હુમલો કરી શકીએ છીએ.’

આયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું કે અમે કોઈપણ કિંમતે ઈઝરાયલને ખતમ કરીશું. તેમણે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસના હુમલાને યોગ્ય ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે આ હુમલો એકદમ યોગ્ય હતો.

આયાતુલ્લાહ અલી ખામેનીએ ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના વડા નસરાલ્લાહને પોતાનો ભાઈ ગણાવ્યો છે અને તેને લેબનનનો ચમકતો રત્ન ગણાવ્યો છે. ખામેનીએ કહ્યું કે મારો ભાઈ નસરાલ્લાહ મારા માટે ગર્વની વાત છે. ઇસ્લામિક વિશ્વમાં તેમનું કદ ઘણું મોટું હતું. તે મુસ્લિમોનો ખુલ્લો અવાજ અને લેબનનનો ચમકતો રત્ન હતો. તેમનો આદર કરવો મહત્વપૂર્ણ છે.