ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓ પર નજર રાખનાર ઈરાની ગુપ્તચર ટીમના 20 અન્ય એજન્ટો મોસાદ માટે કામ કરી રહ્યા હતા
ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના કારનામા ઘણીવાર દુનિયાને ચોંકાવી દે છે. મોસાદ પોતાના જ ઘરમાં ઘુસીને દુશ્મનને મારવા માટે જાણીતું છે અને વર્ષો પછી પણ પોતાના લક્ષ્યને યાદ કરે છે. ગયા શુક્રવારે ઇઝરાયલે લેબનોનમાં ઘુસીને હિઝબુલ્લાના ટોચના કમાન્ડર સૈયદ હસન નસરાલ્લાહની હત્યા કરી હતી. નસરાલ્લાહની હત્યા પાછળ અને ઇઝરાયેલને તેના વિશે કેવી રીતે જાણવા મળ્યું તેની પાછળ ઘણી વાર્તાઓ કહેવામાં આવી રહી છે. એટલું જ નહીં, નસરાલ્લાહના શરીર પર કોઈ ઘાના નિશાન નથી, પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. હવે ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે મોટો ખુલાસો કર્યો છે.
ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે એક ઈન્ટરવ્યુમાં મહમૂદ અહમદીનેજાદે દાવો કર્યો છે કે. ઈરાની ગુપ્તચર સંસ્થાએ ઈરાનમાં કાર્યરત મોસાદનો સામનો કરવા માટે એક વિશેષ યુનિટ બનાવ્યું હતું. પરંતુ આ યુનિટનો વડા પોતે જ મોસાદનો એજન્ટ હોવાનું સામે આવ્યું હતું. તેમનું કહેવું છે કે ઇઝરાયલે ખુદ ઈરાની એજન્સીનો ભંગ કર્યો હતો, જેને મોસાદ સામે કામ સોંપવામાં આવ્યું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના આવા જ એક જાસૂસે ઈઝરાયલને નસરાલ્લાહના સરનામાની માહિતી આપી હતી. અહમદીનેજાદે કહ્યું કે ઈરાને તેના દેશમાં કાર્યરત મોસાદ એજન્ટોને શોધવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવી છે. પરંતુ ઇઝરાયલે આ જૂથમાં ઘૂસણખોરી કરી અને તેમને પોતાના પગાર પર રાખ્યા. આ લોકો વર્ષો સુધી ડબલ એજન્ટ તરીકે કામ કરતા રહ્યા અને ઈરાનને મદદ કરવાને બદલે ઈઝરાયેલને તેની માહિતી આપતા રહ્યા.
અહમદીનેજાદે કહ્યું હતું કે, ‘વર્ષ 2021 સુધીમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે, જેને ઈરાનની જાસૂસી રોકવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી તે અધિકારી પોતે જ મોસાદનો એજન્ટ હતો. ઈઝરાયલ ઈરાનમાં ખૂબ જ સંગઠિત રીતે કામ કરી રહ્યું છે. તે પ્રત્યક્ષ રીતે માહિતી એકત્રિત કરી શકે છે. જે માણસને ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓ પર કાબુ મેળવવાની જવાબદારી સોંપવામાં આવી હતી, તે પોતે જ મોસાદનો એજન્ટ હતો. આ એક જ ઘટના નથી, ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓ પર નજર રાખનાર ઈરાની ગુપ્તચર ટીમના 20 અન્ય એજન્ટો મોસાદ માટે કામ કરી રહ્યા હતા.’
ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે, ‘આ પ્રકારના ડબલ એજન્ટ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ માહિતી ઈઝરાયલને આપે છે. અગાઉ વર્ષ 2018માં આ જ લોકોએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંબંધિત દસ્તાવેજોની ચોરી કરી હતી અને ઘણાં ઈરાની વૈજ્ઞાનિકોની હત્યા પણ કરાવી હતી.’ આ ખુલાસો અહમદીનેજાદે એવા સમયે કર્યો છે, જ્યારે ઘણાં અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાની જાસૂસે હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહના સ્થાન વિશે માહિતી આપી હતી. અને ત્યારપછી જ ઈઝરાયલે બેરૂત સ્થિત હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હવાઈ હુમલો કરીને નસરાલ્લાહને ઠાર કર્યો હતો.