રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદન પર હંગામો: કોંગ્રેસના દરેક કાર્યકર્તા રાહુલ ગાંધીના સમર્થનમાં ઉભા છ, અમે રાહુલ ગાંધીના માર્ગ પર ચાલીને બંધારણની રક્ષા માટે લડી રહ્યા છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકસભાના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પરના નિવેદનને લઈને કેન્દ્રીય મંત્રી રવનિત સિંહ બિટ્ટુ અને અન્ય ભાજપા નેતાઓનો વિરોધ કર્યો હતો. આ પછી પોલીસે લોકસભાના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પરના નિવેદનને લઈને કેન્દ્રીય પ્રધાન રવનિત સિંહ બિટ્ટુ અને અન્ય ભાજપા નેતાઓ વિરુદ્ધ વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી.
તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંઘીએ પોતાની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન કેટલાક એવા નિવેદન આપ્યા હતા જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો હતો. જવાબી કાર્યવાહીમાં ભાજપ અને NDAના નેતાઓ દ્વારા પણ નિવેદનો આપવામાં આવ્યા છે.
દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું કે અમે રાહુલ ગાંધીના માર્ગ પર ચાલીને બંધારણની રક્ષા માટે લડી રહ્યા છીએ. અમે ભાજપથી ડરતા નથી. કોંગ્રેસના દરેક કાર્યકર્તા રાહુલ ગાંધીના સમર્થનમાં ઉભા છીએ. આંધ્રપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ વાયએસ શર્મિલાએ પાર્ટીના કાર્યકરો સાથે વિજયવાડામાં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને અન્ય ભાજપા નેતાઓ વિરુદ્ધ લોકસભાના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પરના તેમના નિવેદનોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસના નેતા અજય માકને બુધવારે વિપક્ષી નેતા રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી કહેવા બદલ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ પાર્ટીના ખજાનચી અને ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસ કમિટી AIMCCના વડા અલકા લાંબાએ દિલ્હીના તુઘલક રોડ પોલીસ સ્ટેશનમાં કેન્દ્રીય મંત્રી અને અન્ય ત્રણ રાજકીય નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કોંગ્રેસ નેતાની ફરિયાદમાં બિટ્ટુ ઉપરાંત ભાજપા નેતા તરવિંદર સિંહ મારવાહ શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ અને ઉત્તર પ્રદેશના મંત્રી રઘુરાજ સિંહનું નામ પણ છે. ફરિયાદની નકલ ભારતના ચૂંટણી પંચને પણ મોકલવામાં આવી છે. અજય માકને કહ્યું કે તમે આવી ટિપ્પણીઓ કરો છો. ‘સાવધાન રહો, બોલશો નહીં તું પણ તારી દાદી જેવો જ ભાગ્ય પામીશ.’ એક એવા માણસની સામે કે જેના પિતા અને દાદીએ દેશ માટે પોતાનો જીવ આપી દીધો. રાજકારણ ક્યારેય આ સ્તરે જઈ શકે નહીં.