અઝાનના પાંચ મિનિટ પહેલા મ્યુઝિક સિસ્ટમ બંધ કરવી ફરજિયાત રહેશે
બાંગ્લાદેશ સરકારના આ આદેશને લઈને ભારતમાં તેનો વિરોધ શરૂ થયો
બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા બાદ ફાટી નીકળેલી હિંસા બાદ ત્યાંના હિંદુઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, બાંગ્લાદેશ સરકારે આદેશ જારી કર્યો છે કે દુર્ગા પૂજા મંડપમાં ધાર્મિક વિધિઓ દરમિયાન ઉપયોગમાં લેવાતા સંગીતનાં સાધનો અને લાઉડસ્પીકરને અઝાન અને નમાઝ દરમિયાન બંધ રાખવામાં આવે.
બાંગ્લાદેશના અખબાર ટ્રિબ્યુનમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર બાંગ્લાદેશના ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ મંગળવારે આદેશ જાહરે કર્યો છે કે અઝાન અને નમાઝ દરમિયાન દુર્ગા પૂજાના મંડપમાં વપરાતા સંગીતનાં સાધનો અને લાઉડસ્પીકર બંધ રાખવામાં આવે. અઝાનના પાંચ મિનિટ પહેલા મ્યુઝિક સિસ્ટમ બંધ કરવી ફરજિયાત રહેશે. બાંગ્લાદેશ સરકારના આ આદેશનો હવે વિરોધ થઈ રહ્યો છે.
https://x.com/RadharamnDas/status/1833487497868849170
બાંગ્લાદેશ સરકારના આ આદેશને લઈને ભારતમાં તેનો વિરોધ શરૂ થઈ ગયા છે. ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે આ આદેશનો વિરોધ કર્યો છે. એક ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, ‘બાંગ્લાદેશના ગૃહ પ્રધાનના સલાહકાર નિર્દેશ આપી રહ્યા છે કે હિન્દુઓએ અઝાનની 5 મિનિટ પહેલા તેમની પૂજા, સંગીત અને કોઈપણ ધાર્મિક વિધિઓ બંધ કરવી પડશે, અન્યથા લોકોની ધરપકડ કરવામાં આવશે, આ નવું તાલિબાની બાંગ્લાદેશ છે.
બાંગ્લાદેશની લગભગ 8 ટકા વસ્તી હિંદુઓની છે. બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળની નજીક હોવાથી ત્યાં રહેતા હિન્દુઓ દુર્ગા પૂજાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. અહેવાલો અનુસાર બાંગ્લાદેશમાં આ વર્ષે 32,666 પૂજા મંડપ સ્થાપવામાં આવશે. દક્ષિણ ઢાકા શહેરમાં 157 અને ઉત્તર ઢાકા શહેર કોર્પોરેશનમાં 88 પૂજા મંડપની સ્થાપના કરવામાં આવશે. ગયા વર્ષે આ સંખ્યા 33,431 હતી. પરંતુ આ વર્ષે આ સંખ્યા ઘટી ગઈ છે. આ વખતે આ ઘટાડો ત્યાં રહેતા હિંદુઓની હાલતને કારણે થયો છે, તેવું કહેવામાં આવી રહ્યું છે.