મમતા બેનર્જી સરકારે વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ પાસ કર્યું, મૃત્યુદંડની જોગવાઈ

વિધેયકમાં બળાત્કાર અને પીડિતાના મૃત્યુના દોષિત વ્યક્તિને મૃત્યુદંડ અને દોષિતોને જામીન વિના આજીવન કેદની સજા આપવાની જોગવાઈ પણ કરવામાં આવી.

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર આજે એટલે કે મંગળવારે વિધાનસભાના વિશેષ સત્રના છેલ્લા દિવસેબળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું છે. આ પ્રસ્તાવિત વિધેયકમાં બળાત્કાર અને પીડિતાના મૃત્યુના દોષિત વ્યક્તિને મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બળાત્કાર અને સામૂહિક બળાત્કારના દોષિતોને જામીન વિના આજીવન કેદની સજા આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં અપરાજિતા બિલ સર્વસંમતિથી પાસ થઈ ગયું છે. વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. એક તરફ મમતા બેનર્જીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું તો ભાજપે તેમાં સુધારાની જરૂરિયાત વ્યક્ત કરી છે. મમતા સરકાર આ બિલને આ ફોર્મમાં જ રજૂ કરવા માંગે છે.

દોષિતોને દસ દિવસમાં ફાંસી જોગવાઈ
બંગાળ વિધાનસભામાં રજૂ કરાયેલા બળાત્કાર વિરોધી બિલ હેઠળ દોષિતોને દસ દિવસમાં ફાંસી આપવાની જોગવાઈ છે. આ સાથે પ્રાથમિક તપાસ અહેવાલ 21 દિવસમાં રજૂ કરવાની, જિલ્લા સ્તરે ટાસ્ક ફોર્સની રચના કરવાની અને નિર્ધારિત સમયમાં સુનાવણી પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ બિલ ઉતાવળમાં લાવી- શુભેન્દુ
ભાજપ વિપક્ષના નેતા શુભેન્દુએ કહ્યું કે, મમતા સરકાર આ બિલ ઉતાવળમાં લાવી છે, અમે ઈચ્છીએ છીએ કે આ બિલ શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવામાં આવે. જો કે તેમણે એમ પણ કહ્યું કે મમતા સરકાર આ બિલ ઉતાવળમાં લાવી છે.

ભાજપે કહ્યું અમારું બિલને સંપૂર્ણ સમર્થન છે, પરંતુ અમે નથી જાણતા કે તેને રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે કે નહીં. મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યપાલે શક્ય તેટલી વહેલી તકે તેના પર હસ્તાક્ષર કરે તો જલદીથી અમલમાં આવે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બળાત્કાર વિરોધી બિલ પર ચર્ચા કરતી વખતે કહ્યું કે અમે 12 કલાકની અંદર આરોપીઓને પકડી લીધા છે. ગુનેગારોને વહેલી તકે કડકમાં કડક સજા થવી જોઈએ. અમે તપાસ માટે વિશેષ ટીમ બનાવી હતી. સીબીઆઈને હવે આ કેસમાં ન્યાય મળવો જોઈએ. અમારી સંવેદના પીડિતાના પરિવાર સાથે છે.

ભાજપ બિલમાં સુધારો કરવા માંગે છે
મમતા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બળાત્કાર વિરોધી બિલ પર ભાજપ કેટલાક સુધારા કરવા માંગે છે આ બિલમાં પર સરકાર આ બિલને તેના વર્તમાન સ્વરૂપમાં પાસ કરાવવા માંગે છે. આ મડાગાંઠ વચ્ચે બેનર્જીએ કહ્યું કે તેઓ આ બિલ પર વિપક્ષના દરેક સવાલનો જવાબ આપશે.

કોલકાતામાં મહિલા ટ્રેઇની ડૉક્ટરના રેપ અને હત્યા પછી ન્યાયની માગ સાથે થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ સીએમ મમતા બેનરજીએ બળાત્કાર વિરોધી બિલ લાવવાની જાહેરાત કરી હતી. આ બિલમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગે ઘણા નિયમોની જોગવાઈઓ છે, જેથી આવી ઘટનાઓને અંકુશમાં લઈ શકાય.