પાવાગઢમાં તારીખ 5 થી 10 ઓગસ્ટ સુધી અને અંબાજીમાં 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રોપ-વે સેવા બંધ રહેશે

pavagadh

રોપ-વે સેવા બંધ રહેતા યાત્રાળુઓ પગથિયા ચઢીને ઉપર જઈ શકશે

પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલી શક્તિપીઠ મહાકાળી મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. રજાના દિવસે તેમજ તહેવારનાં દિવસે તો દર્શનાર્થીઓની સંખ્યા ડબલ થઈ જતી હોય છે તેવામાં હવે આગામી સપ્તાહથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાનાં દર્શન કરવા પાવાગઢ મંદિરે પહોંચશે. ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં પણ 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન મેન્ટેનન્સની કામગીરીને કારણે રોપ-વે સુવિધા બંધ રાખવામાં આવી છે.

પાવાગઢ દર્શને જતા યાત્રિકો માટે બે મંદિર સુધી પહોંચવા રોપ-વેની વ્યવસ્થા કરવામાં આવી છે. માચીથી ડુંગર સુધીની યાત્રા પગપાળા અને રોપ-વે દ્વારા કરવામાં આવે છે. પરંતું હવે પાવાગઢમાં આગામી 5મી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ દરમિયાન ‘મિડટર્મ’ મેન્ટેનન્સને કારણે મહાકાળી મંદિરે પહોંચવા રોપ-વે સુવિધા બંધ રાખવામાં આવી છે. શ્રાવણનાં પહેલા જ અઠવાડિયામાં રોપ-વે સેવા બંધ રહેતા માઇભક્તોને પગથિયાં ચઢીને દર્શન કરવા જવાની ફરજ પડશે. જેથી આ દિવસો દરમિયાન માતાજીનાં દર્શને આવવાનું આયોજન કરતા શ્રદ્ધાળુઓ વૃદ્ધો, વડીલો, અને નાનાં બાળકો સાથે ના આવે તે હિતાવત છે. તારીખ 11 ઓગસ્ટથી રોપ-વે સેવા રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં પણ 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન મેન્ટેનન્સની કામગીરીને કારણે રોપ-વે સુવિધા બંધ રાખવામાં આવી છે.