યોગીની મનમાની પર સુપ્રીમનો સ્ટે, કાવડયાત્રાના રૂટ પર દુકાનદારોને નામ-ઓળખ લખવાની જરૂર નથી, માત્ર ખોરાક શાકાહારી છે કે માંસાહારી એ લખવું

સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવાના સરકારી આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. કોર્ટે સોમવારે કહ્યું હતું કે દુકાનદારોએ તેમની ઓળખ જાહેર કરવાની જરૂર નથી. કોર્ટે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ પાઠવીને શુક્રવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. આગામી સુનાવણી ૨૬ જુલાઈએ થશે. ઉત્તરપ્રદેશ સરકારે કાવડયાત્રાના રૂટ પર દુકાનમાલિકોનાં નામ લખવાનો આદેશ આપ્યો છે.