CM ભૂપેન્દ્ર પટેલ પોતાના 62માં જન્મદિવસ પર વિવિધ સેવાકીય કાર્યોમાં ભાગ લેશે

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયું અને સારા સ્વાસ્થ્ય માટે આજે સાંજે 6:15 કલાકે અમદાવાદ ખાતે જગન્નાથ મંદિર જમાલપુર આરતી કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે 62મો જન્મદિવસ છે. ત્યારે જન્મદિવસ પર મુખ્યમંત્રીએ વહેલી સવારે અડાલજ સ્થિત ત્રિમંદિરમાં દર્શન કર્યા હતા અને ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. પોતાના જન્મ દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિવસભર વિવિધ સેવાકીય કાર્યોમાં ભાગ લેશે. જાણકારી મુજબ CM ભૂપેન્દ્ર પટેલ દિવસ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન 3 મિલિયન ટ્રી અંતર્ગત અમદાવાદ શહેરમાં 62000 વૃક્ષારોપણ, નોટબુક વિતરણ સહિતના કાર્યકમોમાં ભાગ લેશે. આ સાથે સાંજે સોલા ભાગવત મંદિર અને જગન્નાથ મંદિર ખાતે મહાઆરતી કરશે.

PM મોદી અને અમિત શાહે શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહએ સોમવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. તેમજ પીએમ મોદીએ રાજ્યના વિકાસ માટે સીએમ પટેલના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ X પર એક પોસ્ટ કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જેમાં તેમણે લખ્યું છે કે, “ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ. તેઓ ગુજરાતના વિકાસને પ્રોત્સાહન આપવા અને રાજ્યના યુવાનોને સશક્ત બનાવવા માટે પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે. તેઓની સેવામાં તેઓ લાંબુ અને સ્વસ્થ જીવન આપે એવી પ્રાર્થના. જ્યારે દેશના કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ ગુજરાતના મુખ્યમંત્રીજીને જન્મદિવસની શુભકામનાઓ. ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારવામાં આપના કાર્યો પ્રશંસનીય છે. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.