પીએમ મોદીને મળ્યું રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારતના લોકોને કર્યું સમર્પિત, મોસ્કોમાં ભારતીય સમુદાયને કર્યું સંબોધન

modi-russia

રાષ્ટ્રપતિ પુતિને પોતે મોદીને ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ’ એનાયત કર્યું.
દુનિયામાં જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે તે સૌથી પહેલા ભારતમાં પહોંચે છેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે તેમને રશિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ અપોસલ’થી સત્તાવાર રીતે સન્માનિત કર્યા છે. વડાપ્રધાન મોદીએ તેને ભારતીયોને સમર્પિત કર્યું.

વીડિયો જોવા નીચે ફોટો ઉપર ક્લિક કરો.

https://x.com/ANI/status/1810664166488948921

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શિખર મંત્રણામાં ભાગ લીધો હતો. આ દરમિયાન પુતિને કહ્યું, ‘તમે યુક્રેન સંકટનો જે ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો તેના માટે અમે તમારા આભારી છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું-“એક મિત્ર તરીકે, મેં હંમેશા કહ્યું છે કે યુદ્ધના મેદાનમાંથી શાંતિનો માર્ગ નીકળતો નથી. બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ શક્ય નથી.” ભારત-રશિયા સંબંધો અમર પ્રેમની વાર્તા છે. તે દિવસે દિવસે વધતો રહેશે, સપનાઓને સંકલ્પોમાં બદલતી રહેશે.

PM મોદીએ કહ્યું, ભારત અને રશિયાનો અનોખો સંબંધ છે. રશિયાનું નામ સાંભળતા જ ભારતીયોના મનમાં આવે છે, આપણા સુખ-દુઃખનો સાથી.​​​​​, ભારતનો વિશ્વાસુ મિત્ર. રશિયામાં શિયાળાની ઋતુમાં તાપમાન ભલે ગમે તેટલું માઈનસ થઈ જાય પણ ભારત-રશિયા મિત્રતા તો હંમેશા પ્લસમાં જ રહે છે.

પીએમ મોદીએ કહ્યું- હું મારા મિત્ર પુતિનની પ્રશંસા કરીશ. ગયા વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધો માટે તેમણે કરેલા કામની હું પ્રશંસા કરું છું. અમે 17 વખત મળ્યા છીએ. જ્યારે અમારા વિદ્યાર્થીઓ સંઘર્ષમાં ફસાઈ ગયા, ત્યારે પુતિને તેમને તેમના દેશમાં પાછા ફરવામાં મદદ કરી. આ માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.

ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક નેતા તરીકે વડાપ્રધાન મોદીનો દરજ્જો સતત વધી રહ્યો છે. ઘણા દેશોએ તેમને વિદેશી ધરતી પર તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા છે. છેલ્લા 10 વર્ષમાં લગભગ 15 દેશોએ વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે. આમાં ઘણા મુસ્લિમ દેશો પણ સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મોસ્કો મુલાકાતના બીજા દિવસે મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું છે. તેમણે કહ્યું, ‘હું મારી સાથે ભારતની માટીની સુગંધ લઈને આવ્યો છું. હું તમારા માટે 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ અને તેમની શુભકામનાઓ લઈને આવ્યો છું.

પીએમ મોદી મોસ્કોમાં ઓલ રશિયન એક્ઝિબિશન સેન્ટર પહોંચ્યા હતા જ્યાં તેમણે એટમ પેવેલિયનની મુલાકાત લીધી હતી. તે પરમાણુ ઊર્જાનું હબ માનવામાં આવે છે. આ દરમિયાન મોદીએ રશિયાની ન્યુક્લિયર સબમરીનનું મોડલ જોયું હતું.

પીએમ મોદી ક્રેમલિનમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝી દળો સામે લડતા શહીદ થયેલ રશિયન સૈનિકોના ‘અનનોન સોલ્જર’ સ્મારક સ્થળ પર પહોંચ્યા હતા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. સોવિયેત સૈનિકોના સન્માનમાં આ યુદ્ધ સ્મારક બનાવાયું છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતની વધતી ક્ષમતા જુઓ, અમે વિશ્વને ગ્રોથની આશા આપી છે. વિશ્વ રાજનીતિના બદલાતા પરિમાણોમાં ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. દુનિયામાં જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે તે સૌથી પહેલા ભારતમાં પહોંચે છે.

પીએમ મોદીએ કહ્યું, “દેશે છેલ્લા 10 વર્ષમાં જે વિકાસ કર્યો છે તે જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. જ્યારે દુનિયાના લોકો ભારતમાં આવે છે, ત્યારે તેઓ કહે છે કે ‘ભારત બદલાઈ રહ્યું છે’. ભારતની કાયાકલ્પ, ભારતનું નવ-નિર્માણ તેઓ સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું- 60 વર્ષના ઈતિહાસમાં ભારતમાં ત્રીજી વખત સરકાર ચૂંટાઈ આવે તે મોટી વાત છે. સિક્કિમ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને અરુણાચલ પ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં એનડીએ ગઠબંધનનો મોટી જીત મળી છે.

મોદીએ કહ્યું- હું પણ તમારી સાથે એક સારા સમાચાર શેર કરવા માંગુ છું. કઝાન-યેક્ટેરિનબર્ગમાં કોન્સ્યુલેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી લોકો માટે રશિયામાં મુસાફરી અને વેપાર કરવાનું સરળ બનશે. કાઝાન એ તાતારસ્તાનનું સૌથી મોટું શહેર અને રાજધાની છે.