જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ બિહારમાં અનામતની ટકાવારી વધી છે. પટના હાઇકોર્ટે ગુરુવારે 20 જૂને નીતિશ કુમારની તત્કાલીન મહાગઠબંધન સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો અનામત કાયદો રદ કર્યો
કોર્ટે અત્યંત પછાત વર્ગ (EBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે 65% અનામત સમાપ્ત કરવાનો આદેશ આપ્યો
પટના હાઈકોર્ટે બિહાર સરકારને મોટો ઝટકો આપ્યો છે. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો હતો. મહાગઠબંધન સરકાર દરમિયાન વસ્તી ગણતરીનું કામ પૂર્ણ થયું હતું. મુખ્ય મંત્રી નીતિશ કુમાર પણ મહાગઠબંધન સરકારના વડા હતા. સરકારે જાતિની વસ્તી ગણતરીના ડેટાના આધારે રાજ્યમાં અનામતની ટકાવારી વધારીને 65 કરી હતી. JDUએ અનામતનો શ્રેય લીધો હતો. અનામતની ટકાવારી વધારવી એ ખોટું છે એવું કોઈ પક્ષે કહ્યું ન હતું. પરંતુ હવે, પટના હાઈકોર્ટે ગુરુવારે 20 જૂને અનામતની ટકાવારી વધારવાના રાજ્ય સરકારના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે. કોર્ટે અત્યંત પછાત વર્ગ (EBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે 65% અનામત સમાપ્ત કરવાનો આદેશ આપ્યો. બિહાર સરકાર દ્વારા 9 નવેમ્બર 2023ના રોજ અનામત કાયદો પસાર કરવામાં આવ્યો હતો. પટના હાઈકોર્ટે અનામતની મર્યાદા 50% થી વધારીને 65% કરવાના રાજ્ય સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો.
હાઈકોર્ટના ફૈસલાથી નીતીશ સરકારને મોટો આંચકો
પટના હાઈકોર્ટના આ નિર્ણયથી નીતિશ સરકારને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ગુરુવારે 20 જૂને સુનાવણી દરમિયાન કોર્ટે અનુસૂચિત જાતિ (ST), જનજાતિ (ST), અત્યંત પછાત અને અન્ય પછાત વર્ગો (EBC),ને 65 અનામત આપતો બિહાર સરકારનો કાયદો રદ કરી દીધો છે. પટના હાઈકોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો છે. મતલબ કે હવે અનુસૂચિત જાતિ, જનજાતિ, અતિ પછાત અને અન્ય પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 65% અનામત નહીં મળે. 50 ટકા અનામતની જૂની સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
ચીફ જસ્ટિસે જાહેર કર્યો નિર્ણય
બિહાર સરકારના હાલના અનામત કાયદા હેઠળ, પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 65% અનામતની જોગવાઈ હતી. પટના હાઈકોર્ટે આ નિર્ણય ગૌરવ કુમાર અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન આપ્યો હતો. પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કેવી ચંદ્રનની ડિવિઝન બેન્ચે 11 માર્ચ, 2024ના રોજ આ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ગુરુવારે આ અરજી પર સુનાવણી કર્યા બાદ કોર્ટે અંતિમ આદેશ આપ્યો હતો.
બંધારણના મૂળભૂત અધિકારોનો ભંગ
65 ટકા અનામત કાયદા વિરુદ્ધ પટના હાઈકોર્ટમાં ગૌરવ કુમાર અને અન્ય લોકોએ અરજી કરી હતી. અરજદાર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંધારણીય જોગવાઈઓ મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આપવાની જોગવાઈ નથી. બિહાર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ 2023નો આ સંશોધિત અધિનિયમ ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આમાં, તે સરકારી નોકરીઓમાં નિમણૂકના સમાન અધિકારનું ઉલ્લંઘન કરે છે, જ્યારે તે ભેદભાવ સંબંધિત મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન પણ છે. ચીફ જસ્ટિસ કે.વી.ચંદ્રનની ડિવિઝન બેંચે આના પર લાંબી સુનાવણી હાથ ધરી હતી. ત્યારબાદ 11 માર્ચે કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે કોર્ટે અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કરવાનો ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો
એડવોકેટ દિનુ કુમારે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઈન્દિરા સ્વાહાની કેસમાં અનામતની મર્યાદા પર 50% અંકુશ લાદી દીધા હતા. તેમણે એમ પણ કહ્યું કે, જાતિ સર્વેક્ષણનો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ અરજીમાં રાજ્ય સરકાર દ્વારા અનામત મર્યાદા 50%થી વધારીને 65% કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. પટના હાઈકોર્ટના આ નિર્ણયને નીતીશ કુમારની આગેવાની હેઠળની બિહાર સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
2023માં બિહાર સરકારે ગેઝેટ બહાર પાડીયુ હતું
21 નવેમ્બર 2023ના રોજ બિહાર સરકારે આ અંગે એક ગેઝેટ પ્રસિદ્ધ કર્યું હતું. આ પછી, અનુસૂચિત જાતિ/જનજાતિ, પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં 65 ટકા અનામતનો લાભ મળતો હતો. આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા આરક્ષણ ઉમેરો અને અનામતનો કુલ લાભ 75 ટકા થશે.
કઈ કેટેગરી માટે કેટલું અનામત વધ્યું?
- અનુસૂચિત જાતિને આપવામાં આવતી 16 ટકા અનામતને વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે.
- અનુસૂચિત જનજાતિને આપવામાં આવતી એક ટકા અનામત હવે બે ટકા કરવામાં આવી છે.
- પછાત વર્ગોને આપવામાં આવતી અનામત 12 ટકાથી વધારીને 18 ટકા અને અત્યંત પછાત વર્ગોને આપવામાં આવતી 18 ટકા અનામતને વધારીને 25 ટકા કરવામાં આવી છે.