હું કોઇને ક્લિનચીટ નથી આપી રહી, કેજરીવાલ ઘરમાં જ હતાઃ સ્વાતિ માલીવાલ
જો તેઓ મારી રાજ્યસભાની સીટ પાછી લેવા ઈચ્છતા હતા, તો પ્રેમથી માંગી હોત તો હું મારો જીવ પણ આપી દેત
આપ રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલ પર મારપીટના આરોપને લઇને પહેલી વખત સ્વાતિ માલિવાલ જનતા સામે આવ્યા છે. તેમણે ન્યૂઝ એજન્સી ANIને ઇન્ટરવ્યુ આપીને પોતાની આપવીતી જણાવી હતી. જે દરમિયાન સ્વાતિએ જણાવ્યું કે હું કોઇને ક્લિનચીટ નથી આપી રહી. 13 મેના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ હું મુખ્યમંત્રીને મળવા તેમના ઘરે ગઈ હતી. ત્યાં મને કહેવામાં આવ્યું હતું કે તમે બેસો અરવિંદ કેજરીવાલ ઘરમાં જ છે. હું તેમની રાહ જોઇને બેઠી હતી ત્યાં જ બિભવકુમારે આવીને મને મારવાનું શરૂ કરી દીધું. મેં તેને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો તો તેણે મારો પગ પકડી લીધો અને મને નીચે ઢસડી. મારું માથું ટેબલ સાથે અથડાયું. હું નીચે પડી ગઈ. પછી તેઓએ મને લાત મારવાનું શરૂ કર્યું. હું જોર જોરથી બૂમો પાડી રહી હતી, મદદ માંગી રહી હતી, પણ કોઇમદદ કરવા આવ્યુ નહી.
વધુમાં સ્વાતિ માલિવાલે જણાવ્યું કે આખી પાર્ટીમાં દરેકને કહેવામાં આવ્યુ છે મને ગંદી રીતે ટોર્ચર કરે. તેમણે કહ્યું કે ડ્રોઇંગ રૂમ અને ડાઇનિંગ રૂમ પાસે પાસે જ છે. હવે હું બૂમો પાડી રહી હતી તો કોઇ આવ્યુ કેમ નહી તે તપાસનો વિષય છે. હું 2006થી આ લોકો સાથે કામ કરી રહી છું. બિભવ કુમાર અરવિંદ કેજરીવાલના ઘણા નજીક છે. તે કોઇ મામૂલી પીએ નથી. તેઓ પાવરફુલ વ્યક્તિ છે. આખી પાર્ટી તેનાથી ડરે છે.
https://x.com/ANI/status/1793592610617274399
સમાચાર એજન્સી દ્વારા સ્વાતિ માલીવાલને પૂછવામાં આવ્યું કે, આમ આદમી પાર્ટીના કેટલાક સૂત્રોનું કહેવું છે કે, કદાચ એવુ બની શકે કે, તમને કહેવામાં આવ્યું હોય કે તમારે તમારી રાજ્યસભાની સીટ છોડવી પડશે, કોઈ ખાસ વકીલ માટે આ સીટની જરૂર છે. શું આ મુદ્દો હતો? ત્યારે તેના જવાબમાં સ્વાતિએ જણાવ્યું હતું કે,
સ્વાતિ માલીવાલે કહ્યું કે,”જો તેઓ મારી રાજ્યસભાની સીટ પાછી લેવા ઈચ્છતા હતા, તો તેઓએ પ્રેમથી માંગી હોત તો હું મારો જીવ પણ આપી દેત, સાંસદ બહુ નાની વાત છે. મેં મારા આખા કરિયરમાં ક્યારેય કોઈ પદ માટે લાલસા નથી સાંસદ બહુ નાની વાત છે. મેં મારા આખા કરિયરમાં ક્યારેય કોઈ પદ માટે લાલસા નથી રાખી, હું પોસ્ટ વગર પણ કામ કરી શકું છું. પરંતુ જે રીતે મારી મારપીટ કરવામાં આવી છે, તેથી હવે તેઓ ભલે દુનિયાની ગમે તેટલી તાકાત લગાવે, હું કોઈ પણ સંજોગોમાં રાજીનામું નહીં આપું.”
મેં 2006 માં મારી એન્જિનિયરિંગની નોકરી છોડીને જ્યારે જોડાઈ ત્યારે કોઈ કોઈને ઓળખતું ન હતું. એ સમયે માત્ર ત્રણ લોકો હતા, અને હું તેમાંથી એક હતી. ત્યારથી હું કામ કરું છું. મેં જમીન પર કામ કર્યું છે. 2006 થી 2012 સુધી મેં તમામ કામગીરી પૂરી કરી છે. હું સૌથી અગ્રણી લોકોમાંથી એક હતી.
સ્વાતિ માલીવાલે ભાવુક થઈને કહ્યું, મેં એ ન વિચાર્યું કે મારું શું થશે. મારી કારકિર્દીનું શું થશે? આ લોકો મારી સાથે શું કરશે? મેં ફક્ત એટલું જ વિચાર્યું કે મેં બધી સ્ત્રીઓને જે કહ્યું છે તે એ છે કે તમારે હંમેશા સત્ય સાથે ઊભા રહેવું જોઈએ… જો તમારી સાથે કંઈક ખોટું થયું હોય તો ચોક્કસ લડવું, તો હું આજે જાતે કેવી રીતે ન લડી શકું.
સ્વાતિ માલીવાલે કહ્યું, મારી વિરુદ્ધ આખી પાર્ટીને લાવવામાં આવી છે. દરરોજ પ્રેસ કોન્ફરન્સ થાય છે. દરરોજ એવું કહેવામાં આવે છે કે હું ભાજપની એજન્ટ છું. હું નવ વર્ષથી જાહેર જીવનમાં છું. તે પહેલા હું 2006 થી કામ કરતી હતી. હું આ દેશમાં ઘણા મોટા મુદ્દાઓ ડર્યા વગર ઉઠાવ્યા છે. તો હું આજે ભાજપની એજન્ટ બની ગઈ?.
આ સાથે તેણે કહ્યું કે, મેં ફરિયાદ નોંધાવી ત્યાં સુધી હું લેડી સિંઘમ હતી, હું આ દેશની મહિલાઓની પ્રખર અવાજ હતી? પરંતુ ફરિયાદ નોંધાવતાની સાથે જ હું બીજેપીની એજન્ટ બની ગઈ. એવું કહેવાય છે કે ભાજપે મને ડરાવી છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, હું રાજીનામું નહીં આપુું.