એ.એમ.ટી.એસ.ના વહીવટને સુધારવા બાબતે સદંતર નિષ્ફળ ગયેલ

અમદાવાદ શહેરના નગરજનોને પુરી પાડવામાં આવતી એ.એમ.ટી.એસ.ની સેવાનું ધોરણ દિવસે દિવસે કથળતું જાય છે અને તેનો વહીવટ ખાડે ગયેલ છે તેમ છતાં છેલ્લા દસ વર્ષ થી પણ વધુ સમયથી એ.એમ.ટી.એસ માં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતાં આર્જવ શાહ, ડે. ટ્રાન્સપોર્ટ મેનેજર(જનરલ) તરીકે ફરજ બજાવતાં આર એલ.પાંડે, ડે. ટ્રાન્સપોર્ટ મેનેજર(ટેકનીકલ) તરીકે ફરજ બજાવતાં સંજય જે.એમ.પટેલ ને બદલવામાં આવતાં નથી તેઓ દ્વારા કરાયેલ વહીવટ હેઠળ એ.એમ.ટી.એસ.નું મહદાંશે ખાનગીકરણ કરી એ.એમ.ટી.એસ.ને કોન્ટ્રાકટરોના લાભાર્થે ચલાવી રહેલ છે…