પીએમ મોદી 22-23 ફેબ્રુઆરીએ ગુજરાત અને ઉત્તર પ્રદેશની મુલાકાતે આવશે, કરોડોનાં વિકાસ કાર્યોની ભેટ આપશે

pm-modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10:45 કલાકે અમદાવાદમાં “ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન”(GCMME)ની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ વડાપ્રધાન મહેસાણા પહોંચીને વાલીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. બપોરે 1 વાગ્યે ‘તરભ, મહેસાણામાં એક જાહેર સમારોહમાં ભાગ લેશે જ્યાં તેઓ અને રૂ. 8,350 કરોડ કરતાં વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી નવસારી પહોંચી આશરે રૂ. 17,500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે અને બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (PHWRs) રાષ્ટ્રને સમર્પિત કરશે.

23મીએ વડાપ્રધાન ‘વારાણસી ખાતે સ્વતંત્ર સભા, સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાના વિજેતાઓને ઇનામ વિતરણ માટેના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ સંત ગુરુ રવિદાસ જન્મસ્થળે પૂજા-દર્શન કરશે. સવારે 11:30 વાગ્યે વડાપ્રધાન સંત ગુરુ રવિદાસની 647મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે જાહેર સમારંભમાં હાજરી આપશે. બપોરે 1:45 વાગ્યે, વડાપ્રધાન એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે જ્યાં તેઓ રૂ. 13,000 કરોડની વિભિન્ન વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન મોદીનાં ગુજરાત પ્રવાસનો વિગતવાર કાર્યક્રમઃ

વડાપ્રધાન મોદી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMME)ની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે. અમદાવાદનાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ યોજાનાર GCMMFની સુવર્ણ જયંતિની ઉજવણીમાં 1.25 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે.

“વડાપ્રધાન મોદી મહેસાણા અને નવસારીમાં 22,850 કરોડથી વધુ રુપયાની વિભિન્ન યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ યોજનાઓમાં રોડ, રેલ, ઉર્જા, આરોગ્ય, ઈન્ટરનેટ કનેક્ટિવિટી, શહેરી વિકાસ, પાણી પુરવઠો, પ્રવાસન વગેરે જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જેનો લાભ ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, આણંદ, મહેસાણા, કચ્છ, ખેડા, ભરૂચ, તાપી, વડોદરા, સુરત, નવારી, પંચમહાલ, વલસાડ અને નર્મદા જેવા જિલ્લાઓને મળશે.

પ્રધાનમંત્રી મહેસાણાના તરભમાં જાહેર સમારોહમાં ભારત નેટ ફેઝ-2 – ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ સહિતના મહત્વના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. જે 8000 થી વધુ ગ્રામ પંચાયતોને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરશે. મહેસાણા અને બનાસકાંઠામાં રેલ ઈન ડબલીંગ, ગેજ કન્વર્ઝન, નવી બ્રોડગેજ લાઈન, ખેડા, ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણામાં વિવિધ રોડ પ્રોજેક્ટ્સ, ગાંધીનગરમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનાં મુખ્ય શૈક્ષણિક ભવન તેમજ બનાસકાંઠામાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન આણંદમાં નવી જિલ્લા કક્ષાની હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલ સહિત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. બનાસકાંઠાનાં અંબાજીમાં રિંછડિયા મહાદેવ મંદિર અને તળાવનો વિકાસ, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણામાં વિવિધ રોડ પ્રોજેક્ટ્સ, ડીસામાં એરફોર્સ સ્ટેશનનો રન-વે તેમજ અમદાવાદમાં માનવ અને જૈવિક વિજ્ઞાન ગેલેરી, ગીફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)નું નવું બિલ્ડીંગ તેમજ ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં પાણી પુરવઠામાં સુધારો કરવા માટેના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન મોદી નવસારીમાં જાહેર સમારોહ દરમ્યાન વડોદરા મુંબઈ એક્સપ્રેસ-વેના વિભિન્ન પેકેજો સહિત અનેક વિકાસ પ્રોજેક્ટ, ભરૂચ, નવસારી, વલસાડમાં રોડ પ્રોજેક્ટ્સ, તાપીમાં ગ્રામીણ પીવાના પાણી પુરવઠાનો પ્રોજેક્ટ, ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજના સહિત અન્ય યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. નવસારીમાં PM મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજન અને એપેરલ પાર્ક (PM MITRA)ના બાંધકામને શરુ કરવામાં આવશે.

વડાપ્રધાન ભરૂચ-દહેજ એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ-વેના નિર્માણ સહિત મહત્વના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. વડોદરામાં S.S.G હોસ્પિટલ ખાતે વિભિન્ન પ્રોજેક્ટ, વડોદરામાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, સુરત, વડોદરા અને પંચમહાલમાં રેલ્વે ગેજ કન્વર્ઝન માટે પ્રોજેક્ટ, ભરૂચ, નવસારી અને સુરતમાં વિભિન્ન રોડ પ્રોજેક્ટ્સ, વલસાડમાં પાણી પુરવઠાની અનેક યોજનાઓ, શાળા અને છાત્રાલયનું મકાન અને નર્મદા જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ તેમજ ઉદઘાટન કરશે.

વડાપ્રધાન કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન (કેએપીએસ) યુનિટ 3 અને યુનિટ 4 ખાતે બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) રાષ્ટ્રને સમર્પિત કરશે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (એનપીસીઆઈએલ) દ્વારા રૂ. 22,500 કરોડથી વધારેનાં ખર્ચે નિર્મિત કેએપીએસ-3 અને કેએપીએસ-4 પ્રોજેક્ટ્સની કુલ ક્ષમતા 1400 (700*2) મેગાવોટની છે અને તે સૌથી મોટી સ્વદેશી પીએચડબલ્યુઆર છે. તેઓ તેના પ્રકારના પ્રથમ રિએક્ટર્સ છે અને અદ્યતન સલામતી સુવિધાઓ સાથે વિશ્વના શ્રેષ્ઠ સાથે તુલનાત્મક છે. આ બંને રિએક્ટર મળીને દર વર્ષે લગભગ 10.4 અબજ યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરશે અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ જેવા અનેક રાજ્યોના ગ્રાહકોને લાભ આપશે.