હલ્દવાની હિંસામાં તોફાનીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ, હિંસા બાદ CMની ઉચ્ચસ્તરીય બેઠક

UtraKhand-Haldwani-Vialonce

પોલીસે સમગ્ર વિસ્તારમાં ચાંપ્તો બંદોબસ્ત સાથે કર્ફ્યુ લગાવવો પડ્યો, પોલીસને આદેશ કોઈપણ તોફાની દેખાય તો તેને જોતા જ ગોળી મારી દેવી. આ ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા

8 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં બદમાશોએ હંગામો મચાવ્યો હતો. બદમાશોએ હંગામો મચાવ્યા બાદ સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસે સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લગાવવો પડ્યો. આટલું જ નહીં, પોલીસને આદેશ મળ્યો છે કે કોઈપણ તોફાની દેખાય કે તરત જ તેને ગોળી મારી દેવી જોઈએ. તમને જણાવી દઈએ કે હલ્દવાનીમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. આ ઘટનામાં 100થી વધુ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ, પોલીસ પ્રશાસનની ટીમે હલ્દવાનીના બંધ ભુલપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનેલા મદરેસા અને મસ્જિદને હટાવવાની કાર્યવાહી કરી હતી. પોલીસે ગેરકાયદેસર મસ્જિદને હટાવવાની કાર્યવાહી શરૂ કરતા જ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ વિરોધ શરૂ કર્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓએ બેરિકેડ તોડી નાખ્યા હતા અને ડિમોલિશન કામગીરીમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. જ્યારે જેસીબી દ્વારા મસ્જિદ તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે ભીડ ખૂબ જ હિંસક બની ગઈ હતી અને પોલીસ પર પથ્થરમારો કરવા લાગ્યો હતો. દરમિયાન સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જોકે, પોલીસે રોષે ભરાયેલા લોકોને શાંત કરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, ત્યારબાદ હંગામો ઘણો વધી ગયો. આ પછી જ વિસ્તારમાં ભારે તણાવને જોતા રામનગરથી પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે ચાર્જ સંભાળ્યો હતો. તોફાનીઓએ પોલીસ સ્ટેશનને આગ લગાડી અને ડઝનબંધ વાહનોને આગ ચાંપી દીધી.

તોફાની દેખાય તો ગોળી મારવાના આદેશ

તોફાની હિંસા બાદ પ્રશાસને આદેશ આપ્યો છે કે કોઈ પણ તોફાની દેખાય તો તરત જ તેને ગોળી મારી દેવામાં આવે. આપને જણાવી દઈએ કે વહીવટીતંત્ર સતત બદમાશો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. વહીવટીતંત્ર અને સરકારનું કહેવું છે કે હાઈકોર્ટના આદેશ બાદ જ અતિક્રમણ હટાવવામાં આવ્યું હતું.

100 લોકોને ઘાયલ

હિંસાની આ ઘટનામાં બદમાશોએ પોલીસકર્મીઓ અને મ્યુનિસિપલ કર્મચારીઓ સહિત 100 લોકોને ઘાયલ કર્યા છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે.

CM ધામીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

આ સમગ્ર મામલા બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મામલાની ગંભીરતાને જોતા રાજધાની દેહરાદૂનમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા.