માયાવતીને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું, અખિલેશ યાદવને કુરિયર દ્વારા મોકલવમાં આવેલું આમંત્રણ તેમના દાવા મુજબ તે મળ્યું નથી તો અમે તેમને ફરીથી આમંત્રણ આપીશું, VHP આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીએ કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે.
વીએચપી વર્કિંગ પ્રેસિડેન્ટ આલોક કુમારે જણાવ્યું કે અયોધ્યામાં યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં બસપા સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીયે અમારું આમંત્રણ મળ્યું છે અને તે સ્વિકારવામાં આવ્યું છે. પરંતુ તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં.
દેશની ધણી બધી નાની મોટી હસ્તીઓ સાધુ સંતો, રાજનેતાઓ, બિઝનેશમેન , ફિલ્મ કલાકારો, વૈજ્ઞાનિકો, રમતવીર સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણ આપવામાં આવ્યું છે. તે જ સમયે, વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે મીડિયાને કહ્યું કે સપા પ્રમુખ અખિલેશ યાદવને પણ કુરિયર દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું છે અને જો તેમને આમંત્રણ નહીં મળે તો તેને ફરીથી મોકલી શકાય છે.
અખિલેશ યાદવે કહ્યું હતું કે તેમને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું નથી. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નું કહેવું છે કે ઉત્તર પ્રદેશના બંને પૂર્વ મુખ્યમંત્રીઓ અખિલેશ યાદવ અને માયાવતીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
હાલમાં જ અખિલેશ યાદવે કહ્યું હતું કે જો તેમને આમંત્રણ આપવામાં આવશે તો તેઓ અયોધ્યા જશે. જોકે, બાદમાં તેમણે કહ્યું કે જ્યારે ભગવાન શ્રી રામ બોલાવશે ત્યારે તે અયોધ્યા જશે. આમંત્રણ મળવાના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે હું જેને ઓળખતો નથી તેના આમંત્રણ પર હું કેવી રીતે જઈ શકું.