ભવિષ્યમાં મોટું નુકશાન થાય તેથી પક્ષના આગેવાનોનો સંપર્ક કરી ધારાસભ્યોની બેઠક બોલાવવા અંગે કહ્યું
ગુજરાતના વિપક્ષના રાજકારણમાં કોઈ મોટું ભૂકંપના ન સર્જાય તે માટે કોંગ્રેસ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે વિપક્ષના હજું ત્રણથી ચાર ધારાસભ્ય તૂટી શકે છે અને કોંગ્રેસે હવે સતર્ક થવાની જરુર છે.
થોડા સમય પહેલા અને ગત બે દિવસ પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંન્ને પાર્ટીના એક એક ધારાસભ્યએ રાજીનામાં વિધાનસભા અધ્યાક્ષ શંકર ચોધરીને હસ્તાંતરીત કર્યા હતા આવામાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે. સાથે જ તેમણે કોંગ્રેસને પોતાના ધારાસભ્યો સાચવવાની અપીલ કરી છે. પાર્ટીને ગંભીર થવાની જરૂર છે. કોંગ્રેસના વધેલાં ઘારાસભ્યોને હવે ખુણામાં સાચવીને રાખવાની જરૂર છે. કિરીટ પટેલે આ નિવેદન કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્માના કચરાવાળા નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ પક્ષપલટો કરનારા કોંગ્રેસના નેતાઓને પાર્ટીનો કચરો ગણાવ્યો હતો.
ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે ધારાસભ્યો તૂટી રહ્યા છે અને હજુ કોંગ્રેસમાંથી 3-4 ધારાસભ્યો તૂટશે. તેથી પક્ષના આગેવાનોનો સંપર્ક કરી ધારાસભ્યોની બેઠક બોલાવવા અંગે કહ્યું પણ કોંગ્રેસ સિરીયસ નથી. ધારાસભ્ય જાય તેમાં પક્ષ ગંભીર નથી જ્યારે આની જગ્યાએ ભાજપ હોત તો સંગઠનની બેઠક બોલાવી સમસ્યાનો હલ લાવી હોત તેમ તેમણે કહ્યું હતું. પોતાના ભવિષ્યના સ્ટેન્ડ અંગે તેમણે કહ્યું કે ભવિષ્યમાં શું થશે તે હાલ હું કહી શકું તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે ધારાસભ્યના રાજીનામા ચિંતાનો વિષય છે અને હવે કોંગ્રેસને જાગૃત થવાની જરૂર છે. તેમણે દાવો કર્યો કે જે ચૂંટાયા એ પોતાની પ્રતિભા, પ્રભાવથી ચૂંટાયા છે કારણ કે કોંગ્રેસના લોકો જ હરાવવા ફરતા હોય છે. કિરીટ પટેલ બળવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.