કતારની ‘કોર્ટ ઑફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ’એ 26 ઑક્ટોબરે આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. કોર્ટ અપીલની તપાસ કર્યા બાદ આગળની સુનાવણીની તારીખ નક્કી કરશે.
કતાર દ્વારા આઠ ઇન્ડિયન નેવીના નિવૃત્ત કર્મચારીઓને જાસૂસી કાંડમાં પકડ્યા હતા. જે ગત વર્ષ ઑગસ્ટ માહિનાથી કતારની જેલમાં બંધ છે. કતારની કોર્ટે અલ દાહરા કંપનીના આઠ ઇન્ડિયન નેવીના કર્મચારીઓ સાથે સંકળાયેલા મામલામાં પોતાનો નિર્ણયમાં મૃત્યુદંડની (ફાંસી) સજા સંભળાવી હતી.
કતારની ‘કોર્ટ ઑફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ’એ 26 ઑક્ટોબરે આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભારતે આ નિર્ણયને ચોંકાવનારો ગણાવ્યો હતો અને આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો શોધવાની વાત કરી હતી. થોડા દિવસો બાદ ફાંસીની સજા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી.
કતારની એક અદાલતે કથિત જાસૂસી કેસમાં ગયા મહિને સજા પામેલા આઠ ભૂતપૂર્વ ઇન્ડિયન નેવીના નિવૃત્ત કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે ભારતની અપીલ સ્વીકારી લીધી છે. સૂત્રોએ જણાવ્યું કે કતારની કોર્ટ અપીલની તપાસ કર્યા બાદ સુનાવણીની તારીખ નક્કી કરશે. ઓગસ્ટ 2022 માં ધરપકડ કરાયેલ ભૂતપૂર્વ ઇન્ડિયન નેવીના નિવૃત્ત કર્મચારીઓને સૌરભ વશિષ્ઠ, સુગુણાકર પાકલા, અમિત નાગપાલ, સંજીવ ગુપ્તા, નવતેજ સિંહ ગિલ, બિરેન્દ્ર કુમાર વર્મા,પૂર્ણેન્દુ તિવારી, અને રાગેશ ગોપકુમાર છે.
કતારની ગુપ્તચર સંસ્થા દ્વારા જાસૂસીના આરોપમાં આઠ ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કતારે હજુ સુધી તેમના પર લાગેલા આરોપો જાહેર કર્યા નથી. તેની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી હતી અને ગયા મહિને કતારની અદાલતે તેની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કતારની અદાલત દ્વારા આઠ ભૂતપૂર્વ ઇન્ડિયન નેવીના નિવૃત્ત કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે અપીલ પ્રક્રિયા ચાલી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારત આ મામલે કતારના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે અને સરકાર ભારતીય નાગરિકોને તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે.
26 ઓક્ટોબરે આઠ ભૂતપૂર્વ નેવીના કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
કતારની ‘કોર્ટ ઑફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ’એ 26 ઑક્ટોબરે આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભારતે આ નિર્ણયને ચોંકાવનારો ગણાવ્યો હતો અને આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો શોધવાની વાત કરી હતી. થોડા દિવસો બાદ ફાંસીની સજા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી. બાગચીએ કહ્યું, “આ મામલો હાલમાં ત્યાં કાનૂની પ્રક્રિયામાં છે. અમે કહ્યું તેમ, કતારની અપીલ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે
અલ દહરામાં કામ કરતા ભારતીય નાગરિકોની ગયા વર્ષે ઓગસ્ટમાં કથિત જાસૂસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કતારી સત્તાવાળાઓ કે નવી દિલ્હીએ ભારતીય નાગરિકો સામેના આરોપો જાહેર કર્યા નથી. કતાર કોર્ટના નિર્ણય પર તેની પ્રતિક્રિયામાં, વિદેશ મંત્રાલય એ ગયા મહિને કહ્યું હતું કે તે આ કેસને ‘ઉચ્ચ મહત્વ’ આપી રહ્યું છે અને તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરી રહ્યું છે. ઇન્ડિયન નેવીના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ સામે 25 માર્ચે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કતારના કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.
ઇન્ડિયન નેવીમાં 20 વર્ષનો ‘નિષ્કલંક કાર્યકાળ’ રહ્યો છે અને તેઓએ પ્રશિક્ષકો સહિત દળમાં મહત્વપૂર્ણ પદો પર સેવા આપી છે. મે મહિનામાં, અલ-દહરા ગ્લોબલે દોહામાં તેની કામગીરી બંધ કરી દીધી હતી અને ત્યાં કામ કરતા તમામ લોકો (મુખ્યત્વે ભારતીયો) ઘરે પરત ફર્યા હતા