ભારતમાં મોબાઇલ વપરાશકર્તાઓને 20 જુલાઈના રોજ ઘણા એન્ડ્રોઇડ યુઝર્સને તેમના ફોન પર ‘ઈમરજન્સી એલર્ટ’ ફ્લેશ સાથે એક મોટા અવાજે બીપ સાથે મેસેજ મળ્યો હશે. આ ચેતવણીઓ સરકાર દ્વારા મોકલવામાં આવી રહી છે. જો તમે આશ્ચર્ય પામી રહ્યા હોવ કે આ શું હતું, તો સરકાર કેટલાક સ્માર્ટફોન પર ટેસ્ટ ફ્લેશ મોકલીને તેની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કરી રહી છે. તેમાં સંદેશમાં લખ્યું હતું કે, આ સેમ્પલ ટેસ્ટ મેસેજ છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવ્યો છે. પેન-ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ દ્વારા મેસેજ ટેસ્ટિંગનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેનો હેતુ જાહેર સલામતી વધારવા અને કટોકટીના સમયે ચેતવણી આપવાનો છે. આ મેસેજ કેટલાક એન્ડ્રોઇડ ફોન યુઝર્સને મોકલવામાં આવ્યો હતો. ભૂકંપ, સુનામી અને પૂર જેવી કુદરતી આફતો વિશે વપરાશકર્તાઓને ચેતવણી આપવા માટે સરકાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સાથે કામ કરી રહી છે. આવી ઇમરજન્સી એલર્ટ આવે તો ગભરાવાની જરૂર નથી. તમામ કંપનીઓ રિલાયન્સ જિયો, એરટેલ અને વીઆઈના મોબાઈલ નંબર પર આવા મેસેજ આવતા રહેશે.
ભૂકંપ, સુનામી અને પૂર જેવી કુદરતી આફતો વિશે ચેતવણી આપવા માટે તંત્ર દ્વારા ટેસ્ટીંગ માટે મોકલ્યો

સંબંધિત ન્યૂઝ
-
એફઆઈઆર સાથે કંઈક છેડછાડ કરવામાં આવી : મનન કુમાર મિશ્રા
01 July, 2025 -
ભાજપના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું : ધારાસભ્ય ટી રાજા સિંહ
30 June, 2025 -
પહેલી વાર ભારત જાેયું, નકશા પર જે દેખાય છે તેના કરતાં ઘણું મોટું : ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા
28 June, 2025 -
અ.મ્યુ.કો.નું તમામ માહિતી આપતુ ડિજિટલ મેપિંગ તૈયાર, પાંચ વર્ષ માટે ચાર કરોડનો ખર્ચે કરાયુ
27 June, 2025 -
ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાની સફળ યાત્રા
26 June, 2025