ચંદ્રયાન-3નું લેન્ડર પ્રોપલ્શનથી અલગ થયું, 23 ઓગસ્ટે ચંદ્ર પર ઊતરશે

Chandrayan

લેન્ડરની ગતિ હવે ધીમી થશે, ચંદ્રયાન – 3 ચંદ્રની ધરતીથી ફક્ત 153 કિમી દૂર

ISROએ આજે બપોરે 1:15 વાગે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલને લેન્ડર અને રોવરથી અલગ કરી દીધું છે. અલગ થયા પછી, લેન્ડર મોડ્યુલે પ્રોપલ્શન મોડ્યુલને કહ્યું – ‘થેક્સ ફોર ધ રાઈડ મેટ’. ઈસરોએ જણાવ્યું કે લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલને અલગ કર્યા પછી સાંજે 4 વાગ્યે, લેન્ડરને ડીબૂસ્ટિંગ દ્વારા થોડી નીચી ભ્રમણકક્ષામાં લાવવામાં આવશે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ઉતરવા માટે છેલ્લા 100 કિલોમીટરનો પ્રવાસ એકલા હાથે કરવો પડશે. તેણે પોતાના એન્જીન એટલે કે થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને તેની ઝડપ ધીમી કરવી પડે છે. તેમજ ઉંચાઈ પણ ઘટાડવી પડશે.

22 દિવસની યાત્રા પછી, ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ સાંજે 7.15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. પછી યાનને ચંદ્રની ગ્રેવિટીમાં કેપ્ચર કરી શકાય, જેથી તેની ગતિ ઓછી થઈ હતી. અત્યારે ચંદ્રથી ચંદ્રયાનનું લઘુતમ અંતર 153 કિમી અને મહત્તમ અંતર 163 કિમી છે. જ્યારે ચંદ્રયાન પ્રથમ વખત ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યું ત્યારે તેની ઓર્બિટ 164 કિમી x 18,074 કિમી હતી. ઓર્બિટમાં પ્રવેશ કરતી વખતે, તેના ઓનબોર્ડ કેમેરાએ ચંદ્રની તસવીરો પણ કેદ કરી હતી. ઈસરોએ તેનો વીડિયો બનાવીને તેની વેબસાઈટ પર શેર કર્યો છે. આ તસવીરોમાં ચંદ્રના ખાડા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટીની ખૂબ નજીક લાવવા માટે તેને 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. આ સાથે, ચંદ્રની ભ્રમણકક્ષામાં થતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે આપણું ચંદ્રયાન-3 નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ તેમની અલગ અલગ મુસાફરી માટે તૈયાર છે.

ISROએ ટ્વીટ કરી મિશન વિશે માહિતી આપતા ચંદ્રયાન દ્વારા મોકલવામાં આવેલ સંદેશ લખ્યો હતો, ‘સફર માટે આભાર, દોસ્ત!’ લેન્ડર મોડ્યુલ સફળતાપૂર્વક પ્રોપલ્શન મોડ્યુલ થી અલગ થઈ ગયું છે.

Chandrayaan-3 Mission:

‘Thanks for the ride, mate! 👋’
said the Lander Module (LM).

LM is successfully separated from the Propulsion Module (PM)

LM is set to descend to a slightly lower orbit upon a deboosting planned for tomorrow around 1600 Hrs., IST.

Now, 🇮🇳 has3⃣ 🛰️🛰️🛰️…
— ISRO (@isro) August 17, 2023