વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશને 4000 કરોડની વિકાસ યોજનાઓ ભેટમાં આપી. આ સિવાય વડાપ્રધાન મોદીએ આજે સાગર જિલ્લામાં સંત રવિદાસ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. સાગરના બડતુમા ખાતે સંત રવિદાસ મંદિર 100 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું છે. 12 એકર જમીનમાં બનાવવામાં આવનાર આ વિશાળ સ્મારકમાં મ્યુઝિયમ, પુસ્તકાલય, સંગત સભાખંડ સહિતની અનેક રચનાઓ હશે.
વડાપ્રધાન મોદીએ મંદિરની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. અને સંત રવિદાસ મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા અહીં ઉપસ્થિત સંતોનું સ્વાગત પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં એમપીના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અહીં મંદિરની પ્રતિકૃતિ અંગે વડાપ્રધાનને વિગતવાર માહિતી આપી હતી. સાગરના બડતૂમામાં સંત રવિદાસ ભવ્ય મંદિર સ્મારકના ભૂમિપૂજન બાદ પીએમ મોદી ધાનામાં એર સ્ટ્રિપમાં આયોજીત જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન બડતૂમા, ધાના અને આસપાસના 3 કિમીના ક્ષેત્રમાં ડ્રોન, પેરાગ્લાઈડર, હાટ બલૂન પર પ્રતિબંધ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશને 4000 કરોડની વિકાસ યોજનાઓ ભેટમાં આપી, સંત રવિદાસ મંદિરનું ભૂમિપૂજન કર્યું
સંબંધિત ન્યૂઝ
-
(AAP) છોડીને જનારાઓમાં વિશ્વ કક્ષાનો ક્રિકેટર, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને સામાજિક કાર્યકરો છે.
24 April, 2026 -
ગુજરાત: ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોટરસાઇકલ અકસ્માતને કારણે થયેલી લડાઈ
23 April, 2026 -
અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને અન્યોની અરજી ફગાવી દેવા પર, AAP સાંસદ સંજય સિંહ કહે છે
21 April, 2026 -
આજે જ ૫૪૩ બેઠકો પર ૩૩% અનામત લાગુ થવી જોઈએ, મહિલા અનામત બિલ પર કોંગ્રેસના સાંસદ સુખજિંદર સિંહ રંધાવા
20 April, 2026 -
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવાના આદેશ, ઉત્તર પ્રદેશ: અલ્હાબાદ હાઈકોર્ટે
18 April, 2026
