વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશને 4000 કરોડની વિકાસ યોજનાઓ ભેટમાં આપી. આ સિવાય વડાપ્રધાન મોદીએ આજે સાગર જિલ્લામાં સંત રવિદાસ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. સાગરના બડતુમા ખાતે સંત રવિદાસ મંદિર 100 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું છે. 12 એકર જમીનમાં બનાવવામાં આવનાર આ વિશાળ સ્મારકમાં મ્યુઝિયમ, પુસ્તકાલય, સંગત સભાખંડ સહિતની અનેક રચનાઓ હશે.
વડાપ્રધાન મોદીએ મંદિરની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. અને સંત રવિદાસ મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા અહીં ઉપસ્થિત સંતોનું સ્વાગત પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં એમપીના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અહીં મંદિરની પ્રતિકૃતિ અંગે વડાપ્રધાનને વિગતવાર માહિતી આપી હતી. સાગરના બડતૂમામાં સંત રવિદાસ ભવ્ય મંદિર સ્મારકના ભૂમિપૂજન બાદ પીએમ મોદી ધાનામાં એર સ્ટ્રિપમાં આયોજીત જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન બડતૂમા, ધાના અને આસપાસના 3 કિમીના ક્ષેત્રમાં ડ્રોન, પેરાગ્લાઈડર, હાટ બલૂન પર પ્રતિબંધ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશને 4000 કરોડની વિકાસ યોજનાઓ ભેટમાં આપી, સંત રવિદાસ મંદિરનું ભૂમિપૂજન કર્યું
સંબંધિત ન્યૂઝ
-
દેશનો દરેક નાગરિક ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વ્યસ્ત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
13 January, 2025 -
લોસ એન્જલસમાં પરમાણુ હુમલો થયો હોય એવું ભયાનક દૃશ્ય, અત્યાર સુધીમાં ૧૧નાં મોત, ૧૬ લાખ કરોડનું નુકસાન
11 January, 2025 -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું
10 January, 2025 -
ઉદ્યોગ હોય કે કૃષિ.. સૌ કોઈ માટે વિકાસ સાધવાનો આ ઉત્તમ સમય
09 January, 2025 -
લખીમપુર ખેરીના રામચંદ્રના પોલીસ કસ્ટડીમાં મોતનો મામલો, સીઓ ધૌરહરા પીપી સિંહ ધમકી આપતા જાેવા મળ્યા..
09 January, 2025