ગુજરાત રાજ્યમાં કંજેકટીવાઇટીસના કેસમાં વધારો થયો છે. જેમાં અમદાવાદમાં 24 કલાકમાં 5 હજાર કેસ નોંધાયા છે. તેમાં ભાવનગરમાં 24 કલાકમાં 2100 કેસ નોંધાયા છે. તથા ઘણા જિલ્લામાં દૈનિક 1 હજાર જેટલા કેસ નોંધાય છે.
અમદાવાદ, ભાવનગર, વડોદરામાં વધુ કેસ છે. તેમજ અમરેલી, ભરૂચ, મહેસાણામાં પણ વધુ કેસ નોંધાયા છે. તથા રાજ્ય આરોગ્ય વિભાગે જિલ્લાઓમાં સૂચના આપી છે. તેમાં આરોગ્ય એડિશનલ ડાયરેક્ટર નિલમ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નિલમ પટેલે જણાવ્યું છે કે ચેપી પ્રકારનો રોગ હોવાથી સ્વચ્છતાની જરૂર છે. તેમાં આંખોમાંથી સતત પાણી પડે છે. ચેપગ્રસ્ત લોકોએ ભીડવાળી જગ્યાએ ન જવું જોઇએ. સાબુથી સતત હાથ ધોતા રહેવા જોઇએ.
ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદ – 5,000, ભાવનગર – 2100, વડોદરા – 1000 થી વધુ તેમજ અમરેલી – 1000થી વધુ તથા ભરૂચ – 1000 થી વધુ અને મહેસાણા – 1000થી વધુ તથા રાજકોટ – 300 તેમજ જામનગર – 100 કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં કંજેકટીવાઇટીસના કેસમાં થયો વધારો, 24 કલાકમાં નોંધાયા 5 હજાર કેસ
સંબંધિત ન્યૂઝ
-
T20 વર્લ્ડ કપ 2026 માં ભારત-પાકિસ્તાન મેચ અંગે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ
14 February, 2026 -
કોંગ્રેસ પાર્ટી હરદીપ સિંહ પુરીના રાજીનામાની માંગ કરી
13 February, 2026 -
અભિનેતા રાજપાલ યાદવના કેસની સુનાવણી પર વકીલ, ભાસ્કર ઉપાધ્યાય
12 February, 2026 -
લોકસભામાં કેન્દ્રીય બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ
11 February, 2026 -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે, “જાન્યુઆરી 2020 થી 2025 સુધી, અમે I4C નો ઉપયોગ કર્યો
10 February, 2026
