અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નારોલ-નરોડા હાઇવે ઉપર સીટીએમ ચાર રસ્તા પર બ્રિજની નીચે લોકો રોડ ક્રોસ કરીને ન જાય તેના માટે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે. બેરિકેડ મૂકી દેવાના કારણે હજારો લોકો અને વેપારીઓને દરરોજ તકલીફનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો દ્વારા આ મામલે વિવિધ રીતે વિરોધ કરી અને બેરિકેડ હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ ચાર રસ્તા ઉપર બેરિકેડ તેમજ રેલિંગ બનાવી દેવામાં આવી છે, જેના કારણે કોઈપણ વ્યક્તિ હાટકેશ્વરથી રામોલ તરફ અને રામોલથી હાટકેશ્વર તરફ જઈ શકતા નથી.
પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક કોર્પોરેટરો સાથે સંકલન કર્યા બાદ આ બેરિકેડ અને રેલિંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પણ સ્થાનિક વેપારીઓ અને લોકોનો આક્ષેપ છે કે, આ બેરિકેડ લગાવવાના કારણે લોકો હેરાન પરેશાન થાય છે. વાહનચાલકો રોંગ સાઈડમાં જતા હોવાથી અકસ્માત સાથે ટ્રાફિક થવાની સમસ્યા વકરી છે. લોકો રોંગ સાઈડમાં વધારે આવે છે.
અમદાવાદના સીટીએમ બ્રિજ નીચે બેરિકેડ્સ લગાવાતાં લોકો પરેશાન, સ્થાનિકો દ્વારા બેરિકેડ હટાવવાની માંગ
સંબંધિત ન્યૂઝ
-
હરિયાણામાં મ્યુ કોની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે, ચંદીગઢ : કોંગ્રેસના ધારાસભ્ય ગીતા ભુક્કલ
17 April, 2026 -
કોંગ્રેસ પાર્ટીએ ફરીથી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત આપવાનો પ્રયાસ કર્યો, પ્રિયંકા ગાંધી
16 April, 2026 -
દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ: એચએમ દાર્જિલિંગની મુલાકાત રદ થવા અંગે, ભાજપના સાંસદ રાજુ બિસ્તા
15 April, 2026 -
અમે દર મહિને મહિલાઓ અને બેરોજગાર યુવાનોના ખાતામાં 3 હજાર રૂપિયા જમા કરાવીશું, અમિત શાહ
14 April, 2026 -
જયપુર, મહિલા અનામત બિલ પર, “હું આ બિલનું સ્વાગત કરું છું, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી
13 April, 2026
