અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નારોલ-નરોડા હાઇવે ઉપર સીટીએમ ચાર રસ્તા પર બ્રિજની નીચે લોકો રોડ ક્રોસ કરીને ન જાય તેના માટે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે. બેરિકેડ મૂકી દેવાના કારણે હજારો લોકો અને વેપારીઓને દરરોજ તકલીફનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો દ્વારા આ મામલે વિવિધ રીતે વિરોધ કરી અને બેરિકેડ હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ ચાર રસ્તા ઉપર બેરિકેડ તેમજ રેલિંગ બનાવી દેવામાં આવી છે, જેના કારણે કોઈપણ વ્યક્તિ હાટકેશ્વરથી રામોલ તરફ અને રામોલથી હાટકેશ્વર તરફ જઈ શકતા નથી.
પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક કોર્પોરેટરો સાથે સંકલન કર્યા બાદ આ બેરિકેડ અને રેલિંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પણ સ્થાનિક વેપારીઓ અને લોકોનો આક્ષેપ છે કે, આ બેરિકેડ લગાવવાના કારણે લોકો હેરાન પરેશાન થાય છે. વાહનચાલકો રોંગ સાઈડમાં જતા હોવાથી અકસ્માત સાથે ટ્રાફિક થવાની સમસ્યા વકરી છે. લોકો રોંગ સાઈડમાં વધારે આવે છે.
અમદાવાદના સીટીએમ બ્રિજ નીચે બેરિકેડ્સ લગાવાતાં લોકો પરેશાન, સ્થાનિકો દ્વારા બેરિકેડ હટાવવાની માંગ
સંબંધિત ન્યૂઝ
-
આત્મનિર્ભર ભારત માટે યુરિયા-૨૦૨૬ માટે રાષ્ટ્રીય રોકાણ નીતિ (NIPU-૨૦૨૬) ને મંત્રીમંડળે મંજૂરી આપી
15 July, 2026 -
ક્રિકેટર યાસ્તિકા ભાટિયાની ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં થયેલી ઐતિહાસિક સદી અંગે, યાસ્તિકા ભાટિયાની માતા
14 July, 2026 -
દાનની ચોરીના આરોપમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, યુપી સરકાર અને રામ મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારી
13 July, 2026 -
“ઉત્તરાખંડ સરકારે ઉત્તમ સહયોગ આપ્યો માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો આભાર માનું છું. કિરેન રિજિજુ
11 July, 2026 -
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026
